તપાસણી યુનિટ, રાજકોટ
વર્ષ ૨૦૧૭-૧૮ માં વહીવટી તપાસણી કરેલ તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત/તાલીમ કેન્દ્ર
અ.નં. | તપાસણી કરેલ કચેરીનુ નામ | કરેલ તપાસણીનો સમયગાળો |
---|---|---|
૧ | જિલ્લા પંચાયત નવસારી | તા.૨/૦૮/૨૦૧૭ થી તા.૫/૦૮/૨૦૧૭ |
૨ | તાલુકા પંચાયત મહુવા, જિ.સુરત | તા.૨/૦૮/૨૦૧૭ થી તા.૫/૦૮/૨૦૧૭ |
૩ | તાલુકા પંચાયત કપરાડા, જિ.વલસાડ. | તા.૯/૦૮/૨૦૧૭ થી તા.૧૨/૦૮/૨૦૧૭ |
૪ | તાલુકા પંચાયત નિઝર, જિ.તાપી. | તા.૯/૦૮/૨૦૧૭ થી તા.૧૨/૦૮/૨૦૧૭ |
૫ | તાલુકા પંચાયત ફતેપુરા, જિ.દાહોદ. | તા.૧૬/૦૮/૨૦૧૭ થી તા.૧૯/૦૮/૨૦૧૭ |
૬ | તાલુકા પંચાયત ક્વાંટ, જિ.વડોદરા. | તા.૧૬/૦૮/૨૦૧૭ થી તા.૧૯/૦૮/૨૦૧૭ |
૭ | જિલ્લા પંચાયત આણંદ | તા.૭/૧૧/૨૦૧૭ થી તા.૧૦/૧૧/૨૦૧૭ |
૮ | તાલુકા પંચાયત કલોલ, જિ.ગાંધીનગર. | તા.૨૧/૧૧/૨૦૧૭ થી તા.૨૪/૧૧/૨૦૧૭ |
૯ | પંચાયત પદાધિકારી તાલીમ કેન્દ્ર, ગાંધીનગર. | તા.૨૮/૧૧/૨૦૧૭ થી તા.૧/૧૨/૨૦૧૭ |
૧૦ | પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા, જિ.ગાંધીનગર. | તા.૫/૧૨/૨૦૧૭ થી તા.૮/૧૨/૨૦૧૭ |
૧૧ | તાલુકા પંચાયત દસક્રોઇ, જિ.અમદાવાદ. | તા.૧૯/૧૨/૨૦૧૭ થી તા.૨૨/૧૨/૨૦૧૭ |
૧૨ | જિલ્લા પંચાયત ડાંગ | તા.૯/૦૧/૨૦૧૮ થી તા.૧૩/૦૧/૨૦૧૮ |
૧૩ | તાલુકા પંચાયત આણંદ, જિ.આણંદ. | તા.૧૬/૦૧/૨૦૧૮ થી તા.૧૯/૦૧/૨૦૧૮ |
૧૪ | તાલુકા પંચાયત લુણાવાડા, જિ.મહીસાગર. | તા.૨૩/૦૧/૨૦૧૮ થી તા.૨૬/૦૧/૨૦૧૮ |
૧૫ | જિલ્લા પંચાયત નર્મદા | તા.૧૪/૦૨/૨૦૧૮ થી તા.૧૭/૦૨/૨૦૧૮ |
૧૬ | તાલુકા પંચાયત બોરસદ, જિ.આણંદ. | તા.૨૦/૦૨/૨૦૧૮ થી તા.૨૩/૦૨/૨૦૧૮ |
૧૭ | તાલુકા પંચાયત માંડવી, જિ.સુરત. | તા.૧૩/૦૩/૨૦૧૮ થી તા.૧૬/૦૩/૨૦૧૮ |
જિ.પં. | ૪ |
તા.પં. | ૧૧ |
તાલીમ કેન્દ્ર | ૨ |
કુલ | ૧૭ |
અ.નં. | તપાસણી કરેલ કચેરીનુ નામ | કરેલ તપાસણીનો સમયગાળ |
---|---|---|
૧ | તાલુકા પંચાયત અંજાર, જિ.કચ્છ. | તા.૨૨/૦૮/૨૦૧૭ થી તા.૨૬/૦૮/૨૦૧૭ |
૨ | તાલુકા પંચાયત ભુજ, જિ.કચ્છ. | તા.૨૨/૦૮/૨૦૧૭ થી તા.૨૬/૦૮/૨૦૧૭ |
૩ | તાલુકા પંચાયત રાપર, જિ.કચ્છ. | >તા.૨૯/૦૮/૨૦૧૭ થી તા.૧/૦૯/૨૦૧૭ |
૪ | જિલ્લા પંચાયત મોરબ | તા.૨૯/૦૮/૨૦૧૭ થી તા.૧/૦૯/૨૦૧૭ |
૫ | જિલ્લા પંચાયત દ્વારકા | તા.૪/૦૯/૨૦૧૭ થી તા.૮/૦૯/૨૦૧૭ |
૬ | તાલુકા પંચાયત તાલાલા, જિ.જુનાગઢ. | તા.૪/૦૯/૨૦૧૭ થી તા.૮/૦૯/૨૦૧૭ |
૭ | તાલુકા પંચાયત ઉમરાળા, જિ.ભાવનગર | તા.૭/૧૧/૨૦૧૭ થી તા.૧૦/૧૧/૨૦૧૭ |
૮ | તાલુકા પંચાયત મહુવા, જિ.ભાવનગર. | તા.૦૬/૦૨/૨૦૧૮ થી તા.૯/૦૨/૨૦૧૮ |
૯ | તાલુકા પંચાયત નખત્રાણા, જિ.કચ્છ | તા.૦૬/૦૩/૨૦૧૮ થી તા.૯/૦૩/૨૦૧૮ |
૧૦ | તાલુકા પંચાયત દ્વારકા, જિ.દેવભુમિદ્વારકા. | તા.૨૦/૦૩/૨૦૧૮ થી તા.૨૩/૦૩/૨૦૧૮ |
જિ.પં. | ૨ |
તા.પં. | ૮ |
તાલીમ કેન્દ્ર | ૦ |
કુલ | ૧૦ |
તાલીમ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ દરમ્યાન રૂ. ૫.૨૭ કરોડની ફાળવણી થયેલ છે. જેમાં કેન્દ્રર સરકાર પુરસ્કૃવત રૂ.૩.૯૫ કરોડ તેમજ રાજય સરકાર પુરસ્કૃત રૂ.૧.૩૨ કરોડ ફાળવવામાં આવેલ છે.
કેન્દ્રં સરકારની યોજના હેઠળ ગુજરાતમાં પંચાયતીરાજ સંસ્થારઓના બીન સરકારી હોદેદારોને તાલીમ માટે પંચાયતીરાજ તાલીમ કેન્દ્રોજ ત્રીજી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવ્યા હતા.
(૧) ગુજરાત વિધાપીઠ સંચાલીત પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર સાદરા.
૧૯૨૦માં મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિધાપીઠ ધ્વારા પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા ગાંધીનગર જિલ્લામાં આવેલુ છે. વિધાપીઠ સને ૧૯૬૮થી લોકશાહી વિકેન્દ્રીરકરણના ધ્યેયને અનુરૂપ ગ્રામ/નગર કક્ષાએ આદર્શ વહીવટી ગ્રામનવનિર્મિત અને ગાંધી યુકત ગ્રામસ્વયરાજની ભાવનાને મૂર્તિમંત કરી શકે તેવા પદાધિકારીઓ અને પાયાના કર્મચારીઓને તાલીમ આપવાનું કામ કરે છે. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, સાદરા જિ.ગાંધીનગરમાં ગ્રામ પંચાયતો માટે રાજય સરકારના નવા નિયુકત થયેલ ત.ક.મંત્રીશ્રીઓ પંચાયતોને આદર્શ વહીવટ કરી શકે તે માટે વહીવટી ૪ માસની પાયાની તાલીમના વર્ગો ચલાવે છે. ગ્રામ પંચાયતોના કાયમી પંચાયત મંત્રીઓ માટે ૩ અને બે અઠવાડીયાના પવર્ગો ચલાવે છે. સાદરા તાલીમ કેન્દ્ર માટે સાદરા ગામમાં જુની સિવીલ હોસ્પિટલના મકાનો અને જમીન સને ૧૯૪૭માં સાદરા એજન્સી સમાપ્ત થતાં વણવપરાયેલાં પડયા હતા તે મકાનોમાં સામાન્ય રીપેરીંગ કરીને તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ મકાનો અને જમીન ગુજરાત સરકારે સને ૧૯૭૮માં ગુજરાત વિધાપીઠની રૂપિયા ૫૦૧ ના કન્સેજશનલ સેલથી તાલીમ અને શિક્ષણના હેતુ માટે આપેલ. પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર તરીકે ઓળખાતા આ પરિસરમાં છાત્રાલય વર્ગખંડ, રસોડુ, પ્રાર્થનાખંડ, કાર્યાલય, ગ્રંથાલયની વ્યવસ્થા છે.
તાલીમ કાર્યક્રમ માટે તાલીમ કેન્દ્રોને રાજય સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ આપે છે. અને નિયત સ્ટાફ પેટર્ન મુજબ તા.વિ.અ.શ્રી કક્ષાના વર્ગ-૨ ના આચાર્ય, સરકારમાંથી પ્રતિનિયુકિત ઉપર અને પંચાયત, મહેસુલ અને ગ્રામ વિકાસના ત્રણ અધ્યાપક હોય છે. અધ્યાપકોની ભરતી સંસ્થા કરે છે. સાદરા તાલીમ કેન્દ્રના આચાર્ય તરીકે સંસ્થાન નિયુકિત આચાર્યની સરકારે મંજૂરી આપી છે.
(૨) પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર , સણોસરા
તા.૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાતની સ્થાપના થતાં ૧૯૬૩થી પંચાયતીરાજની સ્થાપના પણ ગુજરાતમાં કરવામાં આવી. વધુમાં ૧૯૬૧ના કાયદા અન્વયે ત્રિસ્તેરીય પંચાયતીરાજ માળખું અસ્તિત્વમાં આવ્યુ અને તેના પરિણામે તાલીમનું એક નવું સિમાંકન ખુલ્યું જે અન્વયે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓને તાલીમ આપીને કાર્યની રીતે સભાન બનાવવા તેવું સૂચન બળવંતરાય મહેતા અને શ્રી રસિકલાલ પરીખ તરફથી કરવામાં આવ્યું. આ અન્વયે લોકભારતી સણોસરા ગ્રામ વિધાપીઠ, સ્વૈચ્છિક સંસ્થાને તાલીમ અંગેની કાર્યવાહી રાજય સરકારે સોંપી. જેમાં શરૂઆતના તબકકામાં ગ્રામ તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ આપવામાં આવતી જેનો તમામ ખર્ચ રાજય સરકાર આપતી. ત્યારબાદ રાજય સરકારનું સૂચન થતાં ૧૯૬૬-૬૭થી ગ્રામ લેવલના ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું કાર્ય સંસ્થાં સંચાલિત તાલીમ કેન્દ્રને સોંપવામાં આવ્યું. ધીમે ધીમે ગ્રામ લેવલના કર્મચારીઓ એટલે બિન તાલીમી ત.ક.મંત્રીઓની સંખ્યા વધી જવાના પરીણામે તાલીમ સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો અને પદાધિકારીશ્રીઓની તાલીમ માટે ગાંધીનગર ખાતે તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યુ. હાલમાં તાલીમ કેન્દ્રમાં પાયાના અને રીફ્રેસર વર્ગો ચાલે છે. તેમજ ત.ક.મંત્રી તથા મહેસુલ કેડરના ત.ક.મંત્રીઓને પૂર્વસેવા તાલીમ આપવાની જવાબદારી પણ સુપ્રત થયેલ છે. આ તાલીમમાં આવતા તાલીમાર્થિઓને સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવે છે. તાલીમ કેન્દ્ર્ ચલાવવા રાજય સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ તેમજ મકાન મરામત વાર્ષિક - ૪૦૦૦ ગ્રાન્ટ (૧૯૮૮થી નકકી) કરેલ છે. વધુમાં નવું મકાન બનાવવા માટેની ગ્રાન્ટ પણ રાજય સરકાર ફાળવે છે. ૧૯૬૭ના ઠરાવથી દરેક તાલીમ કેન્દ્ર માટે રાજય સરકારે મહેકમનું માળખુ પણ ઉપસ્થિત કર્યુ. તે મુજબ આચાર્યની જગ્યા વર્ગ-૨ના અધિકારી અથવા સમકક્ષ લાયકાત ધરાવનારની દરખાસ્ત તાલીમ કેન્દ્ર ચલાવનાર ઇન્ટ્રીક ટયુટના સંચાલક કરે છે અને વિકાસ કમિશ્નરશ્રી બહાલી આપે છે. અને પંચાયત વિભાગ મંજૂરી આપે છે. ત્રણ અધ્યાપકો સરકારમાં કામ હોય તેવા ડેપ્યુટેશન ઉપર લઇ શકાય તેવા તેમજ તલાટી કરતાં અપર કેડરના હોવા જરૂરી છે.
(૩) સરસ્વતી ગ્રામ વિધાપીઠ સમોડા-ગણવાડા.
ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ આવતાં પંચાયતના પદાધિકારીશ્રીઓને તાલીમ મળી રહે તે માટે રાજયમાં આવેલી ગ્રામવિકાસની વિભાવના ધરાવતી સ્વૈહચ્છિરક સંસ્થાઓને તાલીમની કામગીરી રાજય સરકારે સોંપી. ત્યારબાદ ૧૯૬૬-૬૭થી ત.ક.મંત્રીશ્રીઓને પણ તાલીમ આપવાનું આવી સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત સંસ્થાઓને સોંપવામાં આવી. આ પૈકીની એક સંસ્થા સરસ્વતી ગ્રામ વિધાપીઠ, સમોડા-ગણવાડા ખાતે ૧૯૭૧થી તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ. તાલીમ કેન્દ્ર ચલાવવા માટે રાજય સરકાર મહેકમની ૧૦૦ ટકા ગ્રાન્ટ, મરામત ખર્ચ પેટે વાર્ષિક - ૫૦૦૦ ગ્રાન્ટ ફાળવે છે. આચાર્યની જગ્યા પર વર્ગ-૨ના અધિકારી સરકારશ્રી તરફથી મુકવામાં આવે છે. જયારે અધ્યાપકશ્રીની ભરતી કરીને રાજય સરકારની બહાલી મેળવવામાં આવે છે.
(૪) સ્વરાજ આશ્રમ, બારડોલી.
સુરત જિલ્લામાં સ્વરાજ આશ્રમ, બારડોલી ૧૯૬૫માં ગુજરાત સરકારના ૧૦૦ ટકા સહાય અનુદાનથી પંચાયતીરાજ તાલીમ કેન્દ્રા શરૂ કરવાનું ઠરાવેલું છે આ તાલીમ કેન્દ્રુ સરકારશ્રીના ધારધોરણ મુજબ તેમજ વિકાસ કમિશ્નર કચેરીના ર્માગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. આ તાલીમ કેન્દ્રમાં ત.ક.મંત્રી તથા સરપંચ, ઉપ સરપંચશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓને તાલીમ આપાવામાં આવે છે. સરકારશ્રીની સૂચનામુજબ ત.ક.મં.ત્રીઓ માટે પાયાની તાલીમ ગ્રામ વિકાસ કરવામાં આવે છે. જયારે ઓપવર્ગની તાલીમ ૧૪ દિવસની રાખવામાં આવેલ છે. બારડોલી તાલીમ કેન્દ્ર ને આઠ જિલ્લાઓ જેવા કે, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ફાળવવામાં આવેલ છે. જેમાંથી તાલીમાર્થીઓ આવે છે. તાલીમ કેન્દ્રનું ૧૦ ટકા મહેકમ ગ્રાન્ટ તેમજ મરામત પેટે ગ્રાંટ આપવામાં આવે છે. તાલીમ કેન્દ્રમાં ૧ આચાર્ય તેમજ ૩ અધ્યાપક, સિનીયર કલાર્ક-૧, પટાવાળા-૨, રસોયા-૧,ની જગ્યા ઓ સરકારશ્રીએ મંજૂર કરેલ છે. અને હાલમાં પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલીના નવા મકાનની જમીન ફાળવણી મોજે-મોતા ખાતે ફાળવણી કરવામાં આવેલ છે અને મકાન બાંધકામ અંગેની કામગીરી પ્રગતિમાં છે.
(૫) ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ સંચાલિત પદાધિકારીશ્રી તાલીમ કેન્દ્રર, ગાંધીનગર.
પંચાયતીરાજને વધુ સરળ બનાવવા માટે લોકો ધ્વારા ચૂટાયેલા પ્રતિનિધિઓની પંચાયતીરાજ સાથે સંકળાયેલી બાબતોની વધુ અને સારી જાણકારી મળી રહે તે માટે પંચાયતોના પદાધિકારીઓને તાલીમ આપવાનું આવશ્યક જણાયું. તેથી ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં બાબતની દરખાસ્ત રાજય સરકારે ધ્યાને લઇને ગાંધીનગર ખાતે ગુજરાત રાજય પંચાયત પરીષદના ઉપક્રમે પંચાયતોના પદાધિકારીઓ માટે એક તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું નકકી કર્યુ. તેમજ તા.૧૧-૫-૧૯૭૯ના ઠરાવ મુજબ જગ્યા્ઓ મંજુર કરવામાં આવી. ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદને પોતાની પ્રવૃતિઓ માટે ભવનની જરૂરિયાત ઉભી થતાં સરકારશ્રીએ સેકટર-૧૭માં કુલ ૧૨૫૮૦ ચો.મી.જમીન ફાળવી. જેમાંથી ૭૫૦૦ ચો.મી.માં પંચાયત પરીષદનું મકાન તેમજ સામી બાજુ ૫૦૮૦ ચો.મી.જમીન પર તાલીમ કેન્દ્રનું નિર્માણ થયું. વર્ષ ૧૯૯૨થી તાલીમ કેન્દ્ર ખાતે પદાધિકારીશ્રીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યા.
નિયામકશ્રી, ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ ભવન, શશીકુંજ, જૂનાગઢ ખાતે ત્રણ તાલીમ કેન્દ્રો પંચાયત વિભાગની સીધી દેખરેખ હેઠળ તેમજ પંચાયતી રાજ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, વડોદરા રાજય સરકાર દ્રારા વહીવટી અંકુશ હેઠળ અમલમાં છે. રાજયમાં આવેલ તમામ ૯ તાલીમ કેન્દ્રોમાં તલાટી કમ મંત્રીઓની પાયાની તાલીમ ચાલી રહેલ છે.
(૧) નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ હિસાબના ઓડીટ અહેવાલના ફકરાઓના જવાબો જિલ્લા પંચાયતો પાસેથી મળતા તેની ચકાસણી કરવી. પુર્તતા યોગ્ય નિયમાનુસાર ન હોય તો જરૂરી રીમાર્કસ સાથે સબંધિત જિલ્લા પંચાયતને પરત કરવા અથવા જવાબો સંપૂર્ણ હોય તો સરકારશ્રીમાં મોકલવાની કામગીરી (જવાબો મેળવવા જરૂરી સ્મૃતિપત્ર પાઠવવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.) જિલ્લા:-અમરેલી, બનાસકાંઠા, વડોદરા, વલસાડ, સુરેન્દ્રનગર
(૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલા મહત્વના ફકરાઓ (પ્રશ્નાવલિ) ના જવાબો જિલ્લા પંચાયત તરફથી મેળવવા તથા વિભાગને મોકલવા
(૩) પંચાયતી રાજ સમિતિની બેઠક સમયે ચર્ચા માટેન પેરાઓની અદ્યતન માહિતી જિલ્લા પંચાયત પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગ સમયે હાજર રહી પુરા પાડવા.
(૪) પંચાયતી રાજ સમિતિના અહેવાલ ઉપર સરકારશ્રી ધ્વારા જરૂરી પગલાં લેવા જિલ્લા પંચાયત સાથે પત્ર વ્યવહાર (એક્ષન ટેકનની કામગીરી)
(૫) જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના પ્રવાસભથ્થાના બીલો મંજુરી તથા દરખાસ્તો.
(૫) (૧૧) દબાણ ખસેડવા જીલ્લા પંચાયતોને સહાયક અનુદાન (નોનપ્લાન)
(૬) (૧૨) રૂપાન્તરિત ગ્રામ પંચાયતોના કર્મચારીઓને ૧૦ ટકા મોંધવારી ભથ્થુ અનુદાન (નોનપ્લાન)
(૭) (૩૨) આદિજાતિ સમુહ ધટકો (નોનપ્લાન) DNO.S
(૮) સડીપી-૪ ધટક કક્ષાની એજન્સીને સંગીન બનાવવી (નોનપ્લાન)
(૯) ઉત્તમ ગ્રામ પંચાયત પસંદગી યોજના (નોનપ્લાન)
(૧૦) (૮) પંચાયતોના પ્રતિનિધિઓને ઇનામ(નોનપ્લાન)
જી.પં.ભૌતિક તપાસણીના પેરાની કામગીરી
(૧૧) DNO.73 ૨૮૦૧ સુધારેલ ચુલા યોજના (ઇ.) (નભદ)
(૧૨) DNO.73 સુધારેલ ચુલા (નોનપ્લાન) (HG)
(૧૩) ડી.નં.૯૩ ૨૮૦૧ સુધારેલા ચુલા યોજના (પ્લાન) એસ.સી.પી.
(૧૪) ડી. નં.૯૩ ૨૮૦૧ સુધારેલ ચુલા યોજના (નોનપ્લાન) (એસ.સી.પી.) (૧૫) ડી.નં.૯૪ ૨૮૦૧ સુધારેલ ચુલા યોજના(પ્લાન) (ટીએએસપી)
(૧૬) ડી.નં.૯૪ ૨૮૦૧ સુધારેલા ચુલા યોજના (નોનપ્લાન) ટીએએસપી (૧૭) ઉપરોકત ૧ થી ૧૩ ના સદરોની વાર્ષિક બજેટ-જોગવાઇ/સરકારશ્રીમાં સાદર કરવી.
(૧૮) ઉપરોકત ૧ થી ૧૩ ના સદરોની આકસ્મિક બજેટ જોગવાઇ સરકારશ્રીમાં સાદર કરવી.
(૧૯) ઉપરોકત ૧ થી ૧૩ ના સદરોની જીલ્લા કક્ષા/કલેકટરશ્રીઓ સામે બજેટની માહિતી તેમજ પત્ર વ્યવહારની કામગીરી.
(૨૦) ઉપરોકત ૧ થી ૧૩ સદરોનું રાજકોટ એકાઉન્ટન્ટ જનરલશ્રી કચેરીએ માસિક વાર્ષિક મેળવણુંની કામગીરી.
(૨૧) ઉપરોકત ૧ થી ૧૩ સદરોની ઓડીટ પેરાના વર્ષવાર ખુલાસાના જવાબો
(૨૨) GEDA-TBSU અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝને ગ્રાન્ટની ફાળવણી.
(૨૩) સુધારેલા ચુલાને ગ્રાન્ટ બાબતે અત્રેની કચેરીની આયોજન શાખા તરફથી મળતી ગ્રાન્ટની ફાળવણી બાબતે અપાતી સુચનો અને નોંધ અન્વયેની કામગીરી.
(૨૪) ઉપરોકત બજેટની લગતી કામગીરી બાબતે સરકારશ્રીમાં રૂબરૂ પરામર્શ કરવા બાબતે તપાસણી શાખાની હિસાબી બાબતોની સબંધિત તપાસણીની કામગીરી.
૧. જાહેર હિસાબી સમિતિને લગતી બાબતે.
ર. વિનિયોગ હિસાબોના વિગતવાર ખુલાસા
૩. શાખાની ગ્રાન્ટના ખુલાસા
૪. ઓડીટ અહેવાલ(મુલ્કી) ના વિગતવાર ખુલાસા
૫. ડ્રાફટપારા (મુલ્કી)માં સમાવેશ થયેલ હોય તેના ખુલાસા.
૬. જાહેર હિસાબ સમિતિની બેઠક બાબત. જીલ્લા પંચાયતોના ઓડિટ પેરા પત્રવ્યવહાર નિકાલ, એ.જી.ઓડિટ કમીટીની મીટીંગ.
૧. મુખ્ય સદર ૨૫૧૫-૧૦૧(૧) નોન પ્લાનથી ૧૦૧ થી ૧૦૧(૯) કુલસદર-૮
૨. મુખ્ય સદર ૫૧૫-૯૭૯(૫) નોન પ્લાનથી ૧૦૧(૯) કુલ સદર ૧.
૩. મુખ્ય સદર ૩૬૦૪-૧૦૧(૧) નોન પ્લાનથી ૧૦૧(૫) કુલ સદરો પ
૪. મુખ્ય સદર ૩૬૦૪-૨૦૦(૧) નોન પ્લાનઅને ૨૦૦(૨) કુલ સદરો ર.
૫. મુખ્ય સદર ૩૦૫૪-૮૦૦(૧) નોન પ્લાન કુલ સદરો ૧
૬. મુખ્ય સદર ૭૬૧૫-૨૦૦(૧) નોન પ્લાનથી ૨૦૦(૬) કુલ સદરો ૬
૭. મુખ્ય સદર ૮૨૩૫-૨૦૦(૧) કુલ સદરો ૧.કુલ સદરો-૨૪
(બ) રાજ સમકારી નીધીની ફાળવણી કરવી. દરખાસ્તો મેળવવી ગ્રાન્ટ ફાળવણી કરવી, એડજેસ્ટમેન્ટનાં હુકમો કરવાની દરખાસ્ત કરવી વગેરે. (ક) યુટીસી નોન પ્લાનને લગતી કામગીરી (ડ) અખિલ ભારતીય પંચાયત પરિષદને લગતી કામગીરી. (૭) લોન એડવાન્સ અંગેની અં.જી. કચેરીને પત્ર વ્યવહારની કામગીરી ( (૮) રેગ્યુલર બજેટ અને સુધારેલ બજેટના પરિપત્રો કરવા.(૧) નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ હિસાબના ઓડીટ અહેવાલના ફકરાઓના જવાબો જિલ્લા પંચાયતો પાસેથી મળતા તેની ચકાસણી કરવી. પુર્તતા યોગ્ય નિયમાનુસાર ન હોય તો જરૂરી રીમાર્કસ સાથે સબંધિત જિલ્લા પંચાયતને પરત કરવા અથવા જવાબો સંપૂર્ણ હોય તો સરકારશ્રીમાં મોકલવાની કામગીરી (જવાબો મેળવવા જરૂરી સ્મૃતિપત્ર પાઠવવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે.) જિલ્લા:-અમરેલી, બનાસકાંઠા, વડોદરા, વલસાડ, સુરેન્દ્રનગર
(૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલા મહત્વના ફકરાઓ (પ્રશ્નાવલિ) ના જવાબો જિલ્લા પંચાયત તરફથી મેળવવા તથા વિભાગને મોકલવા
(૩) પંચાયતી રાજ સમિતિની બેઠક સમયે ચર્ચા માટેન પેરાઓની અદ્યતન માહિતી જિલ્લા પંચાયત પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગ સમયે હાજર રહી પુરા પાડવા.
(૪) પંચાયતી રાજ સમિતિના અહેવાલ ઉપર સરકારશ્રી ધ્વારા જરૂરી પગલાં લેવા જિલ્લા પંચાયત સાથે પત્ર વ્યવહાર (એક્ષન ટેકનની કામગીરી)
(૫) જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના પ્રવાસભથ્થાના બીલો મંજુરી તથા દરખાસ્તો.
(૧) નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ હિસાબના વર્ષો-વર્ષના ઓડીટ અહેવાલના સામાન્ય ફકરાના જવાબો જિલ્લા પંચાયતો પાસેથી મેળવવા લોન/ગ્રાન્ટ વિગેરે બાબતે મળેલ પત્રકોની ચકાસણી કરી તમામ જિલ્લા પંચાયતોના જવાબો આવ્યેથી સંકલન કરી સંકલિત કરી જવાબ સરકારશ્રીમાં મોકલવાની કામગીરી.
(૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલ મહત્વના ફકરાઓ (પ્રશ્નાવલી) ના જવાબો જિલ્લા પંચાયત પાસેથી મેળવવા અને સંકલિત કરી જવાબ સરકારશ્રીમાં મોકલવા
(૩) પંચાયતી રાજ સમિતિની બેઠક સમયે ચર્ચા માટેના પેરાઓની અદ્યતન માહિતી જિલ્લા પંચાયતો પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગ સમયે પુરી પાડવી.
(૪) પંચાયતી રાજ સમિતિની અહેવાલ ઉપર સરકારશ્રી દ્વારા જરૂરી પગલાં લેવા જિલ્લા પંચાયત સાથે પત્ર વ્યવહાર કરવો.
(૫) જિલ્લા પંચાયતોની બાકી વસુલાત (ઓડીટ અહેવાલની) જરૂરી માહિતી નિયત પત્રકમાં જિલ્લા પંચાયતો પાસેથી મંગાવવાની કામગીરી.
(૧) નિરીક્ષકશ્રી સ્થાનિક ભંડોળ હિસાબના ઓડીટ અહેવાલના ફકરાઓનાં જવાબો જિલ્લા પંચાયતો પાસેથી મેળવવા, જવાબો મળ્યેથી તેની ચકાસણી કરવી. પુર્તતા યોગ્ય્ નિયમોનુસાર ન હોય જરૂરી રીમાર્કસ સાથે સબંધિત જિલ્લા પંચાયતને પરત કરવા અથવા જવાબો સંપુર્ણ હોય તો સરકારશ્રીમાં મોકલવાની કામગીરી. જિલ્લા:- ભાવનગર, ભરૂચ, ડાંગ, જુનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સુરત
(૨) ઓડીટ અહેવાલના પસંદ કરાયેલ મહત્વના ફકરાઓ(પ્રશ્નાવલી) ના જવાબો જિલ્લા પંચાયત પાસેથી મેળવવા તથા વિભાગને મોકલવા.
(૩) પંચાયતી રાજ સમિતિના બેઠક સમયે ચર્ચા માટેના પેરાઓની અદ્યતન માહિતી જિલ્લા પંચાયત પાસેથી મેળવવી અને સરકારશ્રીને બ્રીફીંગ મીટીંગમાં હાજર રહી પુરી પાડવી.
(૪) પંચાયતી રાજ સમિતિના અહેવાલ ઉપર સરકારશ્રી ધ્વારા જરૂરી પગલા લેવા સુચના થતાં તે મુજબ જરૂરી પગલાં લેવા જિલ્લા પંચાયત સાથે પત્ર વ્યવહાર(એક્ષન ટેકનની કામગીરી)